Amrit Vel ni Sajjay (અમૃત વેલની સજ્ઝાય)
ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીએ મોહ સંતાપ રે ;
ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.. ।।1।।
ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે ;
અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જન ને માન રે.. ।।2।।
ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાર રે ;
સમકિત રત્નરુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે.. ।।3।।
શુદ્ધ પરિણામ ને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે ;
પ્રથમ તિહાં શરણ અરિહંતનું , જેહ જગદીશ જગ મિત્ત રે.. ।।4।।
જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે ;
ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે.. ।।5।।
શરણ બીજું ભજે સિદ્ધનું , જે કરે કર્મ ચકચૂર રે ;
ભોગવે રાજ શિવનગરનું , જ્ઞાન આનંદ ભરપૂર રે.. ।।6।।
સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ;
મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે.. ।।7।।
શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે ;
જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે..।।8।।
ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધિ રે ;
દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોયે સંવર વૃદ્ધિ રે.. ।।9।।
ઇહ ભવ પરભવ આચર્યાં, પાપ અધિકરણ મિથ્યાત્વ રે;
જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ।।10।।
ગુરુતણા વચન જે અવગણી, ગુંથિયા આપ મત જાલ રે ;
બહુ પરે લોકોને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે.. ।।11।।
જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે ;
જેહ પરધન કરી હરખીયાં, કીધલો કામ ઉન્માદ રે.. ।।12।।
જેહ ધન ધાન્ય મૂર્છાં ધરી, સેવિયા ચાર કષાય રે ;
રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે.. ।।13।।
જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે ;
રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે.. ।।14।।
If you want to listen click below :
પાપ જે એહવા સેવિયાં, નિંદિએ તેહ ત્રિહું કાલ રે ;
સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે.. ।।15।।
વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગ રે ;
તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે.. ।।16।।
સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે ;
જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે.. ।।17।।
જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે ;
સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે.. ।।18।।
જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે ;
સમકિત દ્રષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે.. ।।19।।
અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે ;
સર્વ તે ચિત્ત અનુમોદિએ, સમકિત બીજ નિરધાર રે.. ।।20।।
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે ;
ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.. ।।21।।
થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે ;
દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજ આત્મા જાણ રે.. ।।22।।
ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે ;
ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે.. ।।23।।
દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રુપ રે ;
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરુપ રે.. ।।24।।
કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે ;
રુપ પ્રગટે સહજ આપણું દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલ રે.. ।।25।।
ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે ;
જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.. ।।26।।
રાગ વિષ દોષ ઉતારતાં , જારતાં દ્રેષ રસ શેષ રે ;
પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિ:શેષ રે.. ।।27।।
દેખિયે માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે ;
તેહ અણછોડતાં ચાલીએ, પામીયે જિમ પરમધામ રે.. ।।28।।
શ્રી નયવિજય ગર શિષ્યની શીખડી અમૃત વેલ રે ;
એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ રે.. ।।29।।

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)